40 વર્ષની ઉંમરે પણ દેખાશો 30 વર્ષના, કરીલો માત્ર આ કામ, ઘડપણ રોકાઈ જશે અને જુવાન દેખાશો

આપણે સૌ જાણીએ છીએ કે ઉંમર વધવું અને વૃદ્ધત્વતા એ એક કુદરતી પ્રક્રિયા છે જેને આપણે રોકી શકતા નથી જેમ જેમ સમય જાય છે તેમ આપણી ઉંમર વધવા લાગે છે તેની સાથે જ આપણા શરીરમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે. જેની અસર સમય જતા શરીર પર દેખાવા લાગે છે.

જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ શરીર પર અને ચહેરા પરની કરચલીઓ દેખાવા લાગે છે અને તેને આપણે કહીએ તો લાયસન્સ પણ કહી શકાય છે જે વૃદ્ધત્વની નિશાની છે. જેમ જેમ આપણે ઉંમર વધતી જાય છે અને આપણા વૃદ્ધ થતા જઈએ છીએ તેમ તેમ શરીરની ઇલાસ્ટીન, કોલેજન અને પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટતી જતી હોય છે. જેના કારણે આપણી ત્વચા એટલે કે ચામડી પાતળી બનતી જાય છે.

ઘણા લોકોની ત્વચા પહેલેથી જ એટલી સંવેદનશીલ હોય છે કે નાની ઉંમરથી જ તેમના ચહેરા પર અથવા તો શરીર પર કરચલીઓ દેખાવા લાગતી હોય છે. આજના યુગમાં જો વાત આપણે કરીએ તો મેકઅપ એ દરેકની આવશ્યકતા બની ગઈ છે પાર્ટી હોય લગ્ન હોય કે ઓફિસે જવાનું હોય તો મહિલાઓ મેકઅપનો ઉપયોગ કરીને પોતાને સુંદર બનાવી લેતી હોય છે પણ આ બધી વસ્તુઓ માત્ર મેકઅપ સુધી સીમિત છે ધોઈ નાખવામાં આવે તો તે સુંદરતા ત્યાં જ ઢળી જતી હોય છે.

શરીરની ચામડીને કોમળ અને ફ્રેશ રાખવા માટે તેની કાળજીક લેવી ખૂબ જ જરૂરી છે પરંતુ આ વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિઓ માટે તેની કાળજી લેવી શક્ય નથી હોતી અને ત્વચા માટે પાર્લરમાં કલાકો બેસવું પડે છે જો તમે તમારી ત્વચાને દરરોજ માત્ર 15 મિનિટ આપો તો તમારી આદતો ત્વચા ની ઉંમરને અડધી કરી શકે છે.

ચેહરા પરની કરચલીઓ દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો:

સૌથી પહેલા આપણે તો એ જાણવું જરૂરી છે કે કરચલીઓ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે વધુ પડતા ટેન્શનમાં રહેવું, કોસ્મેટિક પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ કરવો, ધુમ્રપાન કરવો, પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણો અને વિટામીન d3 ની ઉણપ.

શરીરની સાથે તો આપણી ત્વચા ઢીલી થવા લાગે છે અને કરચલીઓ પડે છે પરંતુ ઘણા લોકોને નાની ઉંમરે પણ આ તકલીફ જોવા મળતી હોય છે આજના ઉપાયોમાં આપણે જાણીશું કે શરીર પણ ને કરચલીઓ કેવી રીતે દૂર કરી શકાય.

જો નાની ઉંમરે ત્વચા પર કરચલીઓ આવી ગઈ હોય અથવા ઉંમરના કારણે શરીર પર કરચલીઓ આવી ગઈ હોય તો અને નિયંત્રણમાં લાવવા માટે ચાલો આપણે ઘરેલુ ઉપાયો જાણીએ.

સૂર્યના હાનિકારક કિરણો સીધા આપણી ચામડીના સંપર્કમાં ન આવે તે માટે બહાર જતી વખતે હંમેશા સનસ્ક્રીન નો ઉપયોગ કરવો જોઈએ. સન સ્ક્રીન ત્વચા પર સુરક્ષાનું કામ કરે છે તેને લગાડવાથી ત્વચાને સૂર્યના કિરણો વધારે નુકસાન કરી શકતા નથી.

સન સ્ક્રીન લગાડ્યા સિવાય જો વાત કરીએ તો મોસ્યોરાઈઝર લગાડવાથી પણ ત્વચા હાઈડ્રેટ રહે છે ઘણીવાર શુષ્ક ત્વચાને કારણે ચેહરા પર અને શરીર પર કરચલીઓ દેખાતી હોય છે.

કરીશ લેવાનું મુખ્ય કારણ શરીરમાં ડીહાઇડ્રેશન ની સમસ્યા હોય છે જો આ સમસ્યાને દૂર કરવા માટે વધારે પાણી પીવામાં આવે તો આ સમસ્યાઓ દૂર થઈ શકે છે એટલે કે દિવસમાં વધુમાં વધુ 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ.

ધુમ્રપાન થી શરીરમાં ઘણી બધી આડ અસર થતી હોય છે ધુમ્રપાન કરવાથી ત્વચા ને પણ નુકસાન થતું હોય છે નાની ઉંમરે વધુ ધુમ્રપાન તમને સમય કરતા પહેલા વૃદ્ધ કરી દેશે એટલે ધુમ્રપાન બંધ કરી દેવું જોઈએ.

ત્વચા પર ની કરચલીઓ દૂર કરવા માટે જો કોઈ સારો અને સરળ ઉપાય હોય તો એ છે કે આહારમાં સુધારો કરવો જોઈએ જેમ કે મલ્ટી વિટામિન્સ વાળા અને પોષક તત્વો વાળા આહારનું સેવન કરવું જોઈએ અને લીલા શાકભાજી અને ફ્રુટ્સનો ઉપયોગ કરવો જોઈએ.

દરરોજ આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે તથા કૃત્રિમ સુગંધ ધરાવતી ક્રીમ લગાડવાનું ટાળવું જોઈએ તમારી ત્વચાને દિવસમાં બે વાર સાબુને બદલે સાદા પાણીથી ધોઈ શકાય છે.

જો આટલી સંભાળ લેવામાં આવે તો ત્વચાને સુંદર અને કોમળ બનાવી શકાય છે અને સમય પહેલા પોતાને વૃદ્ધ થતા અટકાવી શકાય છે જો આ માહિતી તમને પસંદ આવી હોય અને યોગ્ય લાગી હોય તો તમારા

Leave a Comment