માત્ર 5 રૂપિયામાં ચહેરા પરના ખીલ અને તેના ડાઘ દૂર થઈ જશે કરી લો માત્ર આ એક ઉપાય

સુંદર અને સમજદાર ચહેરો દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે પરંતુ ચહેરા પરના નાના નાના ખીલ અને ત્વચા પર રહી ગયેલા તેના નિશાન અથવા તો ફોલ્લીઓ ચેહરા પરની સુંદરતા ખરાબ કરતા હોય છે આ સમસ્યાથી બચવા માટે ઘણા લોકો અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે. જેમકે ચેહરા માટે ક્રીમ અને અનેક પ્રકારની બજારમાં મળતી કોસ્મેટિક આઇટમ, માટે 18 પૈસા ખર્ચવા પડતા હોય છે છતાં પણ કોઈ રીઝલ્ટ મળશે તેની કોઈ ગેરંટી હોતી નથી.

વાતાવરણમાં રહેલું પ્રદૂષણ ખોટી જીવન શૈલી અથવા ખાવા પીવાની ખરાબ આદતો જેમકે વધારે પડતું તીખું કે તળેલું ખાવું અથવા તો બજારનું ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. અને બજારમાંથી લોકો ચહેરા પર લગાડવા માટે ક્રીમનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે ચહેરા પર રહેલા ખીલ કે તેના ડાઘા જતા તો નથી પરંતુ ઘણીવાર વધારે મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે જેના સાઈડ ઇફેક્ટના કારણે ચહેરો વધારે બગડી જતો હોય છે.

જો લોકોને પોતાની જીવન શૈલી સુધારે તો આવી અનેક સમસ્યાઓથી આસાનીથી છુટકારો મેળવી શકાય છે. હકીકતમાં જો વાત કરીએ તો હોર્મોન અસંતુલન પણ ક્યારેક નાના પીમ્પલ્સ અથવા ખીલને સમસ્યાનું કારણ બની જતા હોય છે તો આજે આપણે વાત કરીશું કે આવા નાના-નાના પીમ્પલ્સ અથવા ખીલ કે તેના ડાઘા માટે કયા એવા ઘરગથ્થુ ઉપાયો છે જેનો ઉપયોગ કરીને તમે તમારા મોઢા પરથી ખીલ અથવા તો તેના ડાઘા ને દૂર કરી શક્યો છો અને પોતાનો ચહેરો સુંદર અને આકર્ષિત કરી શકો છો.

ચેહરા પરના ખીલ, પિંપલ્સ કે ડાઘા દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો:

શરીરમાં અનેક રોગો અથવા તો અનેક સમસ્યાઓથી બચવા માટે લોકો એક માત્ર ઉપાય અવશ્ય કરતા હોય છે જે છે લીમડો. આપણે સૌ જાણીએ છીએ કે લીમડો અને લીમડાના પાન આપણા શરીર માટે કેટલા ગુણકારી સાબિત થાય છે શરીરમાં રહેલી અનેક પ્રકારની બીમારીઓ અને અનેક પ્રકારની સમસ્યાઓ માટે જો કોઈ એકમાત્ર ઉપાય ગણવામાં આવે તો તે લીંબડો છે.

લીમડાના પાનમાં એન્ટી ફંગલ અને એન્ટિસેપ્ટિક ગુણોનો ખજાનો હોય છે જે ચહેરા પરના ખીલ અથવા તો તેના ડાઘ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તો હવે ચાલો આપણે જાણીએ કે લીમડાના પાન કેવી રીતે ખેલ અથવા તો ડાઘ દૂર કરવા માટે ઉપયોગી છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

સૌથી પહેલા લીમડાના પાનને પીસી લો અને તેને ચહેરા પર લગાવી દો અથવા તો લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેને ઠંડુ થવા દો ઠંડો થયા બાદ આ પાણીથી ચહેરાને ધોઈ લો.

જો આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો ચેહરા પરના ડાઘ અને ખીલ જેવી સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે તેની સાથે સાથે અનેક સમસ્યાઓ પણ દૂર રહેતી હોય છે જેમ કે ચેહરા પર લાલ નિશાન થઇ જવા, ચહેરો લાલ થઈ જવો, વગેરે જેવી સમસ્યાઓથી આસાનીથી રાહત મેળવી શકાય છે.

જો લીમડાના પાન સિવાય બીજા ઉપાય વિશે વાત કરવામાં આવે તો ચણાનો લોટ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ચણાનો લોટ ત્વચા માંથી વધારાનું તેલ શોષી લે છે અને ચેહરાની ગંદકીને દૂર કરે અને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યા વિના ચહેરાને સાફ કરે છે ચણાના લોટમાં દહીં મિક્સ કરી જો ચેહરા પર 15 મિનિટ સુધી લગાવી રાખવામાં આવે અને પછી ચહેરો ધોઈ લેવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જો આપણે ત્વચા ની વાત કરતા હોઈએ અને એલોવેરા એટલે કે કુંવરપાઠા ની વાત ન આવે તે શક્ય વાત જ નથી આપણે સૌ જાણીએ છીએ કે ત્વચા માટે અને વાળ માટે એલોવેરા કેટલું ઉપયોગી છે તેથી રાત્રે સુતા પહેલા એલોવેરા જેલને આખા ચેહરા પર લગાડી દેવું જોઈએ તેનાથી ખેલથી તો છુટકારો મળશે જ સાથે સાથે ત્વચન કોમળ પણ રહેશે. એટલે જ ચહેરા પર લગાડવામાં આવતી મોટાભાગની ક્રીમમાં એલોવેરા નો ઉપયોગ થાય છે.

જો આપણે આગળ વાત કરીએ તો મધ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે જે ચેહરા પર રહેલા તેલથી છુટકારો આપે છે જેના કારણે ત્વચાના છિદ્રો ખુલે છે જો નિયમિત રીતે મધનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરો ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાવા લાગે છે.

હળદરમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે ચેહરા પરના પીમ્પલ્સ અને ચહેરો જો લાલ થઈ જતો હોય તો તેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જો તમને આજની માહિતી પસંદ આવી હોય અથવા તો ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર થી એક શેર કરજો જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ શુદ્ધિ આ માહિતી

Leave a Comment